જુન-૨૦૨૦ સુધીના મૃત્યુ સહાય ફાળાની રકમ જમા કરાવવા બાબત

સભાસદશ્રી

શસવિનય સહ જણાવવાનું કે, શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલીત સામાજીક સુરક્ષામાં તા.૦૧/૦૧/૨૦૨૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ સુધીમાં કુલ ૨૪ સભાસદોના સ્વર્ગવાસ થયેલ છે, જેમાં સંસ્થાના નિયમ મુજબ મૃત્યુ સહાય ફાળા પેટે નીચે જણાવેલ રકમ આ૫શ્રીએ તા.૩૧/૦૮/૨૦૨૦ સુધીમાં ફરજીયાત જમા કરાવવાની રહેશે તે ૫છી રૂા. ૫૦/- લેટફી સાથે મોડામાં મોડા તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી રકમ સ્વિકારવામાં આવશે. તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી મૃત્યુ ફાળાની રકમ જમા ન કરાવનાર સભાસદશ્રીનું સભ્ય૫દ સંસ્થાના નિયમાનુંસાર આપોઆપ રદ થશે.

સભાસદ નંબર ફાળાની રકમ
૦૦૦૧ થી ૬૮૬૭ રૂ. ૧૨૦૦.૦૦
૬૮૬૮ થી ૬૮૮૯ રૂ. ૯૦૦.૦૦
૬૮૯૦ થી ૬૯૧૪ રૂ. ૭૦૦.૦૦
૬૯૧૫ થી ૬૯૧૮ રૂ. ૪૦૦.૦૦
૬૯૧૯ થી ૬૯૨૦ રૂ. ૨૫૦.૦૦
૬૯૨૧ થી ૬૯૨૮ રૂ. ૧૦૦.૦૦

શ્રી ડો. શંકરભાઈ કે. મેવાડા
        પ્રમુખ

શ્રી વિનુભાઇ એમ. મીસ્ત્રી
        મંત્રી

Welfare Trust Member Detail 

પ્રિય સાભસદ,
સોફ્ટવેર માં નવીન સુધારા અમલમાં કરવા માટે, અને વધુ સારી સેવા પુરી પાડવા વેલફેર ટ્રસ્ટ દ્વવારા બનાવેલ સોફ્ટવેરમાં આપનો સભાસદ નંબર અથવા નામ સર્ચ કરી, આપનું લેટેસ્ટ એડ્રેસ, મોબાઈલ નંબર તથા ઇ-મેલ આઈડી અપડેટ કરવા વિનંતી. આ ઉપરાંત વેલફેર ટ્રસ્ટ દ્વારા આગામી મૃત્યુ સહાય ફાળો ભરવા માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા ચાલુ કરવામાં આવનાર છે, જેથી આપ આપનો મૃત્યુ સહાય ફાળો વેલફેર ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઇન ભરી શકશો અને તેની ડિજિટલ રિશીપટ આપ મેળવી શકશો.(આ અંગેની વધુ માહિતી મૃત્યુ સહાય ફાળાના લેટર સાથે પુરી પાડવામાં આવશે)

CRM Software of Welfare Trust https://crm.mevadawelfaretrust.com/



2018 All Rights Reserved | By: Delta Infosoft Pvt.Ltd